વિશ્વ ટીબી દિવસના અવસરે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ તેમજ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા સમાજસેવાના ઉત્તમ ઉદ્દેશ સાથે એક સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત ટી.બી.પીડિત દર્દીઓ માટે 70 પોષણયુક્ત ફૂડ કિટનું વિતરણ કરવામાં આવ્યું.આ પ્રસંગે આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ જિલ્લા કોર્ટના સભ્યો પણ હાજર રહી કાર્યક્રમને વધુ ગૌરવશાળી બનાવ્યો હતો. તેમની ઉપસ્થિતિએ આ સેવાકીય કાર્યમાં ઉમદા સહકાર અને પ્રેરણા પૂરી પાડી હતી.સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ટીબી જેવી ગંભીર બિમારી સામે લડવા માટે દવાઓ સાથે પોષણયુક્ત આહાર અત્યંત જરૂરી છે.

દર્દીઓના આરોગ્યમાં સુધારો થાય અને તેઓ ઝડપથી સ્વસ્થ બને તે હેતુથી આ ફૂડ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે.કાર્યક્રમ દરમિયાન સંસ્થાના સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને સૌએ મળીને આ સેવાકીય કાર્યને સફળ બનાવ્યું હતું.

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા આવી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે.આજના દિવસે આ સમગ્ર કાર્યક્રમ માં જિલ્લા કોર્ટના જજ શ્રીમતી બ્રહ્મભટ્ટ મેડમ,જિલ્લા ક્ષય અધિકારી સિંઘ સાહેબ, ફેડરેશન પૂર્વ પ્રમુખ કેતનભાઇ રોજેસરા, પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા તથા લાલજીભાઈ કળથીયા,ઉપપ્રમુખ ડૉ. પરેશભાઈ દરજી તથા દિપકભાઈ માથુકિયા,એસ.એમ.ઓ.રાજુભાઈ ડેરૈયા, મુકેશભાઈ જોટાણીયા,હરેશભાઈ પીઠવા,શૈલેષભાઈ પરમાર,વિજયભાઈ ઝીંઝુવાડીયા,અલ્પેશભાઈ કળથીયા,ચેતનભાઈ જોષી,આરોગ્ય વિભાગના અધિકારીઓ,કોર્ટ વિભાગ ના અધિકારીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન હાથ ધર્યા.