માહીતી બ્યુરો, બોટાદ
વડાપ્રધાનના નેતૃત્વમાં પશ્ચિમ બંગાળ ખાતેથી ભારત સરકાર અને કૃષિ વિભાગ હેઠળ આવતી પી.એમ. કિશાન સમ્માન નિધિ યોજનાનો ૨૩મો હપ્તો રીલીઝ કરવા માટે “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેનું જીવંત પ્રસારણ (Live Telecast) દેશના તમામ રાજ્યોમાં કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ”નું આયોજન ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિના માધ્યમથી કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે બોટાદ જિલ્લામાં “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ”નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બોટાદ એપીએમસી હોલ બોટાદ ખાતે કરવામાં આવ્યો હતો. જિલ્લાના ચારેય તાલુકામાં ગ્રામ્ય કક્ષાએ પણ જીવંત પ્રસારણ મહતમ ખેડૂતો અને ગ્રામજનો નિહાળેલ ઉપસ્થિત ખેડૂતોને કૃષિ પ્રગતિ એપનો મહતમ ઉપયોગ કરવા તથા હાલમાં પીએમ કિશાન સન્માન નિધિ હેઠળના તમામ ખેડૂત ખાતેદારને ફાર્મેર રજીસ્ટ્રી કરવા બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારી બોટાદ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયા સહિત કાર્યક્રમમાં બોટાદ એપીએમસીના ચેરમેન ડી.એમ.પટેલ, વાઈસ ચેરમેન-રણજીતભાઈ વાળા,જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરતસિંહ ડોડીયા, અગ્રણીઓ, ઘનશ્યામભાઈ વિરાણી, એપીએમસી સભ્ય અને જિલ્લા ખેતીવાડી અધિકારી સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.
