અહેવાલ કનુભાઈ ખાચર
કાતર દ. શ્રી સ્વ. નનકુબાપુ જોરુબાપુ વરુનું તા. ૨૯/૧૨/૨૦૨૫ ના રોજ દુઃખદ અવસાન થયું હતું. સ્વ. નનકુબાપુ કાતર દ. શ્રી દાદબાપુ વરુના નાના ભાઈશ્રી તથા પાળીયાદ પૂ. શ્રી વિસામણબાપુની જગ્યાના પ્રેરક સંચાલક પૂ. શ્રી ભયલુબાપુના તેમજ શ્રી બાબભાઈ વરુ, કાતરના કાકાશ્રી હતાં.સ્વર્ગસ્થ નનકુબાપુના અવસાન નિમિત્તે તા. ૦૨/૦૧/૨૦૨૬ ના રોજ પૂ. શ્રી વિસામણબાપુની જગ્યા – પાળીયાદ મુકામે બેસણું યોજવામાં આવ્યું હતું.

સ્વ. નનકુબાપુ સાથેના ઊંડા સામાજિક સંબંધો તથા પૂ. ભયલુબાપુના વિશાળ લોકસંપર્કને કારણે ગુજરાતભરના વિવિધ વિસ્તારોમાંથી અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ, ધાર્મિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રના વરિષ્ઠ આગેવાનો, ડોક્ટરો, વકિલો, અધિકારીઓ, સાહિત્યકારો, વિહળધામના સેવક સમુદાય તથા વિવિધ જ્ઞાતિઓના વરિષ્ઠો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બેસણાં દરમિયાન તમામ ઉપસ્થિતોએ રૂબરૂ પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ ઉપરાંત અનેક શુભેચ્છુકો, સેવાભાવી સંસ્થાઓ તથા સ્નેહીજનો દ્વારા ફોન, સંદેશા અને સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા પણ સદગતની દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

