ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં ધરતી ધ્રૂજવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે તાલાલા અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફાળ પડી હતી. ખાસ કરીને શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે આવેલા આ આંચકાને કારણે કેટલાક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર, આ આંચકો ગઈકાલે રાત્રે 11.46 કલાકે અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.5 નોંધાઈ હતી. જોકે તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ સ્થાનિકોમાં સતત આવતા આંચકાઓને લીધે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના રિપોર્ટ મુજબ, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલા (ગીર સોમનાથ) થી અંદાજે 25 કિમી ઉત્તર-ઉત્તર-પૂર્વે (NNE) નોંધાયું હતું. રાત્રે 11.46 કલાકે, રિક્ટર સ્કેલ પર 2.5, તાલાલાથી ૨૫ કિમી દૂર કેન્દ્રબિંદુ અને ડિસેમ્બરમાં કુલ 50+ આંચકા અનુભવાયા હોવાના અહેવાલ મળ્યા છે.